Ambalal and Paresh Goswami : ગુજરાતમાં કાતિલ ઠંડી પડ્યા બાદ પવનની દિશા બદલાતા ઠંડીમાંથી થોડી રાહત જોવા મળી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. ગુજરાતમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો ફૂકાઈ રહ્યા હતા તેને બદલે હવે પવનની દિશા બદલાઈને પૂર્વથી દક્ષિણ પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારે આગામી સમયમાં રાજ્યના હવામાનમાં ફરીથી પલટો આવે એવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા વ્યકત કરવામાં આવી છે. ત્યારે આ સપ્તાહમાં ઠંડી વધશે કે નહીં તે અંગે હવામાન વિભાગે પણ આગાહી કરી છે.
આ પણ વાચો : ક્યારે ઠંડી જમાવટ કરશે? હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની શિયાળાની આગાહી
હવામાન વિભાગની આગાહી – Ambalal and Paresh Goswami
ગુજરાત નજીકથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયું હોવાથી ઠંડીમાં ઘટાડો થયો છે. રવિવારે નલિયા 10.5 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન સામાન્યથી 6 ડિગ્રી વધી 17.5 ડિગ્રી પર સ્થિર નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન પણ સામાન્યથી 5 ડિગ્રી વધી 32 ડિગ્રી સુધી પહોંચતા બપોરે સામાન્ય ગરમીનો અહેસાસ થયો હતો.
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, ગુજરાતમાં હાલ પવનની દિશા બદલાઈને પૂર્વથી દક્ષિણ પૂર્વ તરફની જોવા મળી રહી છે. ત્યારે આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક જોવા મળશે. હાલ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. આ સાથે અમદાવાદના હવામાનની માહિતી આપતા તેમણે જણાવ્યું છે કે, અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ સ્પષ્ટ જોવા મળશે. જ્યારે આગામી 24 કલાકમાં અમદાવાદનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી થવાની આગાહી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી – Ambalal and Paresh Goswami
અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, તારીખ 18,19 અને 20માં તો ડાંગમાં મોટો પલટો આવી શકે છે. જ્યારે 27, 28 અને 29મી જાન્યુઆરીએ વાદળછાયું અને ગુજરાતના કોઈક કોઈક ભાગોમાં માવઠાની શક્યતા પણ રહેલી છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં 21થી 30 જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવી શકે અને માવઠું થવાની શક્યતા રહેલી છે. હળવા છાંટા કે વરસાદ થવાની શક્યતા છે. 24 જાન્યુઆરીથી ફરીથી ઠંડા પવનો ફૂંકાવાની સાથે ઠંડી વધવાની સંભાવના છે. આ સાથે તેમણે જણાવ્યું કે, પોષ માસમાં હિમ પડે તો આવતું વર્ષ સારું રહે. જાન્યુઆરી અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં હાડ થીજવતી ઠંડી પડી શકે છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, કારતક મહિનાની એકમથી લઈ 18 જાન્યુઆરી સુધીમાં કશ કાતરાનું પ્રમાણ નબળું જોવા મળ્યું છે. એટલે સંકેતો સારા નથી. અત્યાર સુધી કશ કાતરા થવા જોઈએ તેવા થયા નથી. બે વખત કશ કાતરા થયા હતા. તેમ છતાં ચોમાસું નબળું નથી થવાનું કારણ કે કશ કાતરા સિવાય પણ અનેક પરિબળ જોવાના હોય છે. ઝાકળ વર્ષા, હોળીનો પવન, અખાત્રીજનો પવન જોવાનો હોય છે. બીજા પરિબળો જોવાના બાકી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, તારીખ 18,19 અને 20માં તો ડાંગમાં મોટો પલટો આવી શકે છે.