PM Kisan scheme : જે ખેડૂતમિત્રો પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી યોજનાના લાભાર્થી છે તેમને વર્ષે માત્ર રૂ.6000 જ નહીં પણ રૂ.42000 મળી શકે છે. આ યોજનાનો લાભ એવા ખેડૂતોને જ મળશે જે પહેલાથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી હશે.
આ ખાસ વાચો : શું પતિ-પત્ની બંને જણા પીએમ કિસાન યોજનાનો લાભ લઇ શકે? જાણો શુ છે નિયમો?
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ સાથે સરકાર દ્વારા માનધન કિસાન યોજનાની સુવિધા પણ આપવામાં આવે છે. આ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજના તરફથી વાર્ષિક રૂ.6000 અને માનધન યોજનામાંથી રૂ.36000 મળશે. જેથી વર્ષે ખાતામાં રૂ.42000 જમા થશે.
કઇ રીતે આ યોજનાનો લાભ મળશે?
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નામની યોજના અંતર્ગત ખેડૂતોને સરકાર તરફથી દર વર્ષે રૂ.6000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. સાથે ખેડૂતો માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાના નામે બીજી યોજના પણ ચલાવવામાં આવે છે. આનો લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને રૂ.55 નું રોકાણ કરવું પડશે. આ યોજનાનો લાભ લેવા માટે અલગથી અરજી કરવાની જરૂર પણ નથી.
આ પણ વાચો : પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2024 : મેળવો મફત ગેસ સિલિન્ડર, જાણો ઓનલાઇન અરજી એવી રીતે કરવી
પ્રધાનમંત્રી કિસાન નિધિના ફોર્મ પર માનધન યોજનાનો વિકલ્પ મળે છે. ખેડૂત જ્યારે 60 વર્ષનો થાય એટલે તરત જ તેને પ્રધાનમંત્રી કિસાન નિધિ હેઠળ દર મહિને રૂ.3000 નું પેન્શન પણ મળવાનું શરું થાય છે. તેનો મતલબ એ કે રૂ.36000 પ્રતિ વર્ષ મળશે.
ખેડૂતોએ દર મહિને રૂ.55 નું રોકાણ કરવું પડશે – PM Kisan scheme
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી જ માનધન યોજનાનો લાભ લઈ શકે છે. આ સિવાય તેમનું eKYC પહેલેથી જ થઈ ગયેલુ હોવું પણ જરૂરી છે. તમે પ્રધાનમંત્રી કિસાન નિધિના રજિસ્ટ્રેશન પર જ તેનો લાભ મેળવી શકો છો. યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે.
આ પણ વાચો : PM મુદ્રા લોન યોજના 2024: સરકાર આપશે 0% વ્યાજ દરે 10 લાખ રૂપિયા સુધીની લોન, આ રીતે કરો ઓનલાઇન અરજી
પ્રધાનમંત્રી માનધન કિસાન યોજનામાં દર મહિને રૂ.55 થી રૂ.200 નું રોકાણ કરવાનું રહેશે. જો તમે 30 વર્ષની ઉંમરે તો રોકાણ શરુ કરો છો તો રૂ.110 રૂપિયા અને 40 વર્ષની ઉંમરે રૂ.200 નું રોકાણ કરવાનું રહેશે. ત્યાર બાદ લાભાર્થી ખેડૂત 60 વર્ષનો થાય એટલે તેમના ખાતામાં સરકાર તરફથી 6000+36000 = રૂ.42000 મળવા લાગશે.
અગત્યની લિંક
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
ખેડૂતો માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાના નામે બીજી યોજના પણ ચલાવવામાં આવે છે. આનો લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને રૂ.55 નું રોકાણ કરવું પડશે. આ યોજનાનો લાભ લેવા માટે અલગથી અરજી કરવાની જરૂર પણ નથી.